Chapter-11
હર્ષવર્ધન પછી ના સમય માં ભારતીય સમાજ અને સંસ્કૃતિ |
----------------------------------------------------------------
👉MCQ Online Exam
👉Click Here YouTube Video
👉MCQs Answer
Page 1
🔹 લઘુ પ્રશ્નોત્તરી (Short Questions)
1) હર્ષવર્ધન પછી ભારતમાં કેટલાં રાજપૂત રાજ્યો ઊભાં થયા?
ઉ: અનેક નાનાં-મોટાં રાજપૂત રાજ્યો ઊભાં થયા, જે મુખ્યત્વે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં સ્થિત હતાં.
2) રાજપૂત યોદ્ધાઓની કઈ વિશેષતાઓ હતી?
ઉ: તેઓ બહાદુર, સાહસિક, દેશ અને ધર્મ માટે સર્વસ્વનું બલિદાન આપનાર અને ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક હતા.
3) રાજતરંગિણી ગ્રંથ કોણે લખ્યો હતો?
ઉ: કવિ કલ્હણે લખ્યો હતો. આ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે.
4) 'ગીતગોવિંદ' ગ્રંથના રચયિતા કોણ હતા?
ઉ: કવિ જયદેવ.
5) કવિ પંપ, પોન્ના અને રન્નાને કયા નામે ઓળખવામાં આવે છે?
ઉ: કન્નડ સાહિત્યના 'ત્રિરત્ન' તરીકે ઓળખવામાં આવે છે.
🔹 વિસ્તૃત પ્રશ્નોત્તરી (Long Questions)
1) હર્ષવર્ધન પછીના સમયગાળામાં રાજપૂત સામ્રાજ્યોની વિશેષતાઓ સમજાવો.
ઉ: હર્ષવર્ધન અને પુલકેશી બીજાના મૃત્યુ પછી ભારતમાં નાનાં-મોટાં રાજપૂત રાજ્યો ઊભાં રહ્યા. રાજપૂતો સાહસિક, લડાયક, વતન અને ધર્મ માટે જીવ આપનાર અને આત્મસન્માન માટે કેસરિયો કરનાર હોય છે. તેમના યોગદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની.
2) હર્ષવર્ધન પછીના સમયગાળામાં ભાષા અને સાહિત્યનો વિકાસ સમજાવો.
ઉ: આ સમયગાળામાં સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ યથાવત રહ્યું. ગીતગોવિંદ, રાજતરંગિણી, હિતોપદેશ જેવા ગ્રંથો લખાયા. સાથે જ, પ્રાદેશિક ભાષાઓ જેમ કે હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ વગેરેમાં સાહિત્યસર્જન થયું. હિન્દીમાં વીરગાથા યુગનો આરંભ થયો.
3) દક્ષિણ ભારતમાં તેલુગુ અને તમિલ સાહિત્યમાં થયેલી રચનાઓની વિગતો આપો.
ઉ: તેલુગુમાં કવિ નનૈયાએ મહાભારતનો અનુવાદ કર્યો. નયનાર અને અલવાર સંતોની રચનાઓ 'તિરુમંદિરમ્' અને 'દિવ્ય પ્રબંધ' ગ્રંથોમાં સમાવિષ્ટ છે.
📚 પૂર્વ મધ્યકાલીન ભાષાની મુખ્ય સાહિત્યકૃતિઓ
ભાષા | રચના | રચયિતા | શતાબ્દી |
---|---|---|---|
સંસ્કૃત | કથાસરિત્સાગર | સોમદેવ | 11મી સદી |
સંસ્કૃત | રાજતરંગિણી | કલ્હણ | 11મી સદી |
સંસ્કૃત | ગીતગોવિંદ | જયદેવ | 11મી સદી |
સંસ્કૃત | ભાષ્ય | શંકરાચાર્ય | 8મી-9મી સદી |
હિન્દી | પૃથ્વીરાજ રાસો | ચંદ બરદાઈ | 12મી સદી |
કન્નડ | કવિરાજમાર્ગ | નૃપતુંગ | 9મી સદી |
કન્નડ | આદિપુરાણ | પંપા | 10મી સદી |
કન્નડ | શાંતિપુરાણ | પોન્ના | 10મી સદી |
કન્નડ | અજિતનાથ પુરાણ | રન્ના | 10મી સદી |
સંસ્કૃત | પ્રબોધચંદ્રોદય (નાટક) | રાજશેખર | 10મી સદી |
સંસ્કૃત | કર્પૂરમંજરી (નાટક) | નારાયણ ભટ્ટ | 9મી સદી |
સંસ્કૃત | વેણીસંહાર | બિલ્હણ | 8મી સદી |
સંસ્કૃત | ચૌરપંચાશિકા (મહાકાવ્ય) | બિલ્હણ | 11મી સદી |
ગુજરાતી | ભવિસત્કાહા | ધનપાલ | 10મી સદી |
સંસ્કૃત | હરિવંશ પુરાણ | જિનસેનસુરી | 8મી સદી (ઈ.સ. 783) |
સંસ્કૃત/ગુજરાતી | સિદ્ધહેમ શબ્દાનુશાસન | હેમચંદ્રાચાર્ય | 12મી સદી |
ગુજરાતી | દયાશ્રય | હેમચંદ્રાચાર્ય | 12મી સદી |
🔹 અન્ય મહત્વની માહિતી:
-
સરસ્વતી કંઠાભરણ – રાજાભોજ દ્વારા લખાયેલ ભાષા-વ્યાકરણનો ગ્રંથ (11મી સદી)
-
પ્રથમ ગુજરાતી કૃતિ: ધનપાલ લખિત 'ભવિસત્કાહા' (10મી સદી)
-
પ્રથમ બૌદ્ધ ગ્રંથ: 'ધરણીસૂત્ર' (ઈ.સ. 704)
-
શંકરાચાર્ય: પ્રસ્થાનત્રયી (ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર) પર ભાષ્ય લખ્યું, 4 મઠોની સ્થાપના કરી
-
રામાનુજાચાર્ય: ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો, સમાજમાં સમાનતાનો સંદેશ આપ્યો
Page.3
🕉️ ધર્મ અને ચિંતન – હર્ષવર્ધન પછીનો સમય
🔸 જૈનધર્મનો ફાળો:
-
રાજસ્થાનમાં ઉદય અને ગુજરાતમાં પ્રભાવ.
-
હેમચંદ્રાચાર્ય તથા તેમના શિષ્યો દ્વારા જૈનધર્મ લોકભોગ્ય બન્યો.
-
ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં જૈનધર્મનો નોંધપાત્ર ફાળો.
-
હેમચંદ્રાચાર્યના પુસ્તકો:
-
સિદ્ધહેમ શબ્દાનુશાસન – વ્યાકરણ ગ્રંથ
-
દયાશ્રય – ગુજરાતી ભાષાનું પ્રથમ ઇતિહાસગ્રંથ
🔸 સિંઘપ્રદેશના સંત ઝૂલેલાલ:
-
10મી સદીમાં અવતર્યા
-
હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયમાં લોકપ્રિય
-
તેમનો જન્મદિવસ 'ચેટીચાંદ' તરીકે ઉજવાય છે
-
ત્રાસથી મુક્તિ અપાવી અને ભક્તિમાર્ગ આપ્યો
🔸 આદિ શંકરાચાર્ય (ઈ.સ. 788):
-
જન્મ: કેરળના કાલડી ગામે
-
અદ્વૈતવાદનો પ્રચાર:
-
"બ્રહ્મ સત્ય, જગત મિથ્યા"
-
જીવ અને બ્રહ્મ એકરૂપ
-
-
પ્રસ્થાનત્રયી (ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર) પર ભાષ્ય લખ્યાં
-
ચાર મઠોની સ્થાપના: દ્વારિકા, કાંચી, પુરી, બદ્રીનાથ
-
હિંદુ ધર્મનું પુનરુત્થાન કર્યું, બૌદ્ધ-જૈન પદ્ધતિઓ અપનાવી
🔸 કુમારિલ ભટ્ટ:
-
આસામમાં જન્મ
-
વિશિષ્ટ દ્વૈતવાદના હિમાયતી
-
કર્મકાંડ અને યજ્ઞોનું સમર્થન
-
ધાર્મિક ક્રિયાને જ્ઞાન કરતાં વધુ મહત્વ આપ્યું
🔸 ભક્તિઆંદોલન અને મૂર્તિપૂજા:
-
હિન્દુ ધર્મમાં નવા દેવોની પૂજા શરૂ
-
મહાવીર અને બુદ્ધને અવતાર સ્વરૂપે માનવામાં આવ્યાં
-
અનેક દેવમંદિરોના નિર્માણ
-
દક્ષિણમાં અલવાર (વૈષ્ણવ) અને નયનાર (શૈવ) સંતો દ્વારા ભક્તિવાદનો વિકાસ
-
દુર્ગા, ભવાની, અંબા, કાલી, તથા સૂર્ય પૂજા વિશેષ લોકપ્રિય
🔸 હિન્દુ રાજવીઓનો આશ્રય:
-
કાશ્મીર, કનોજ, પાટણ, ધારાનગરી, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ વગેરે રાજાઓએ વિદ્વાનોને આશ્રય આપ્યો
-
વલભીના મૈત્રક રાજા અને સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા રાજાઓ હિંદુ ધર્મના સમર્થક
🔸 બૌદ્ધધર્મનો પતન:
-
અશોક બાદ બૌદ્ધ ધર્મ રાજાશ્રયમાં આવ્યો
-
વિહારોમાં એશ આરામથી પુરુષાર્થ નાશ પામ્યો
-
આદિ શંકરાચાર્યે 9મી સદીમાં બૌદ્ધધર્મનું નિર્મૂલન કર્યું
Page.4
1. હર્ષવર્ધન પછી સમાજવ્યવસ્થામાં શું ફેર પડ્યો?
જવાબ: સમાજવ્યવસ્થામાં મોટો ફેર ન પડ્યો, પણ તહેવારો, તીર્થયાત્રાઓ અને નવી જ્ઞાતિઓ ઉદ્ભવી.
2. આ સમયમાં કઈ નવી ધંધાદારી જ્ઞાતિઓ ઉદ્ભવી?
જવાબ: સુચાર, લુહાર, ભાટ, ચારણ, ભરવાડ, વણઝારા, સાળવી, વણકર જેવી જ્ઞાતિઓ.
3. સ્ત્રીઓની સ્થિતિ કઈ રીતે બદલાઈ?
જવાબ: શરૂઆતમાં સન્માન હતો, પણ પાછળથી બાંધછોદ વધી, બાળકીને મારી નાખવી અને સતી થવા જેવી કુરિવાજો પેદા થઈ.
4. દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ કઈ હોદ્દામાં કાર્યરત હતી?
જવાબ: સ્ત્રીઓ હિસાબનીશ, જ્યોતિષી અને અંગરક્ષક તરીકે કાર્ય કરતી.
5. આ સમયમાં વૈશ્યો કઈ રીતે સામાજિક સેવા કરતા?
જવાબ: મંદિરો, ધર્મશાળાઓ, વિહારો બાંધતા અને ગરીબોને દાન આપતા.
6. લોકોના મુખ્ય ખોરાકમાં શું સામેલ હતું?
જવાબ: ઘઉં, ચોખા, બાજરી, દૂધ, દહીં, ખજૂર, બોર, કેરી વગેરે.
7. આ સમયે લોકો કઈ રીતે પહેરવેશ રાખતા?
જવાબ: પુરુષો પાઘડી અથવા ટોપી પહેરતા, સ્ત્રીઓ ગહણાં અને રેશમી કપડાં પહેરતી.
8. મુખ્ય વ્યવસાય કયો હતો?
જવાબ: મુખ્ય વ્યવસાય ખેતી હતો.
9. વેપાર માટે કયા દેશો સાથે ભારતનો સંપર્ક હતો?
જવાબ: દક્ષિણ પૂર્વ એશિયા અને આરબ દેશો સાથે.
10. વેપારમાંથી ભારતમાંથી શું નિકાસ થતું?
જવાબ: કાપડ, ચંદન, કપૂર, હાથીદાંત, મલમલ, જાયફળ, નારિયેળ વગેરે.
Page.5
1. નાગર અને દ્રવિડ શૈલીમાં શું ફરક છે?
જવાબ: નાગર શૈલી ઉત્તર ભારતની છે જેમાં ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો હોય છે.
દ્રવિડ શૈલી દક્ષિણ ભારતની છે જેમાં શંકુ આકારના પિરામિડ ઘાટની શિખરો હોય છે અને 'ગોપુરમ' પ્રવેશદ્વાર હોય છે.
2. પલ્લવ શૈલીના મંદિરનું ઉદાહરણ આપો.
જવાબ: ઊંડવલ્લી મંડપ (મહેન્દ્ર વર્મા દ્વારા બંધાવેલું ગુફામંદિર).
3. કૈલાસ મંદિર કોણે બંધાવ્યું હતું?
જવાબ: રાષ્ટ્રકૂટ રાજાએ.
4. બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું અને તેની વિશેષતા શું છે?
જવાબ: રાજરાજા ચોલે બંધાવ્યું.
તેની વિશેષતા એ છે કે તેની છાંયા પૃથ્વી પર પડતી નથી.
5. ખજૂરાહોના મંદિરો કયા રાજવંશ દ્વારા અને કયા સમયગાળા દરમિયાન બંધાયા?
જવાબ: ચંદેલ વંશ દ્વારા
950 થી 1050 CE વચ્ચે
6. ખજૂરાહોમાં કેટલી મંદિરો હતી અને હવે કેટલી બાકી છે?
જવાબ: પહેલા 80 મંદિરો હતા, હવે માત્ર 25 મંદિરો જ બાકી છે.
7. નટરાજની કાંસાની મૂર્તિ કયા સ્થળે મળી હતી?
જવાબ: ચિતુર જિલ્લામાંથી.
8. દક્ષિણ ભારતના મંદિરોમાં 'ગોપુરમ' શું છે?
જવાબ: મંદિરમાં પ્રવેશદ્વાર તરીકે知らી શિલ્પકામથી બનાવેલું વિશાળ દ્ધાર, જે દક્ષિણ ભારતની મંદિરશૈલીની વિશેષતા છે.
9. હમ્પીનું વિઠ્ઠલ મંદિર કઈ રાજ્યશૈલીનો ઉદાહરણ છે?
જવાબ: વિજયનગર સામ્રાજ્યની શિલ્પકલા.
10. દક્ષિણ ભારતમાં ધાતુશિલ્પના ઉદાહરણરૂપ કઈ મૂર્તિ છે?
જવાબ: નટરાજની કાંસાની મૂર્તિ.
Page.6
1. રથમંદિરો શું છે?
જવાબ: એક જ પર્વત અથવા મહાશિલામાંથી કોતરીને બનાવેલા મંદિરોને રથમંદિરો કહેવામાં આવે છે. જેમ કે મહાબલિપુરમનાં પાંચ રથમંદિરો અને કોર્ણાકનું સૂર્યમંદિર.
2. મહાબલિપુરમનું નામ ક્યાંથી પડ્યું હતું?
જવાબ: પલ્લવ વંશના નૃસિંહવર્મન પહેલાના ઉપનામ 'મહામલ' પરથી તેનું નામ મહાબલિપુરમ પડ્યું હતું.
3. મહાબલિપુરમમાં કેટલા રથમંદિરો હતાં અને કેટલાં હજીયત છે?
જવાબ: આંતરભૂત 7 રથમંદિરો હતા, જેમાંથી 2 સમુદ્રમાં વિલિન થઈ ગયા હોવાથી હાલ 5 જ મંદિરો હયાત છે.
4. મહાબલિપુરમનાં સૌથી નાનું અને મોટું મંદિર કયાં છે?
જવાબ:
-
સૌથી નાનું: દ્રૌપદીનું મંદિર
-
સૌથી મોટું: ધર્મરાજ યુધિષ્ઠિરનું મંદિર
5. કોર્ણાકનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે અને તેને કયા નામે પણ ઓળખવામાં આવે છે?
જવાબ: ઓરિસ્સાના પુરી જિલ્લામાં આવેલું છે અને કાળા પથ્થરોના ઉપયોગથી તેને “કાળા પેગોડા” તરીકે પણ ઓળખવામાં આવે છે.
6. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું અને તેની વિશેષતા શું છે?
જવાબ: સોલંકી વંશના ભીમદેવ પ્રથમ દ્વારા બંધાવાયું હતું. તેની વિશેષતા એ છે કે સૂર્યપ્રકાશ સૂર્યપ્રતિમાના મુકુટ પર પડતાં આખું મંદિર ઝળહળી ઊઠતું હતું.
7. કૈલાશ મંદિર કયા સ્થળે આવેલું છે અને તેની વિશેષતા શું છે?
જવાબ:
-
મહારાષ્ટ્રના ઓરંગાબાદના ઈલોરાની ગુફામાં
-
એક જ પર્વતમાંથી કોતરીને બનાવેલું ભારતનું સૌથી મોટું શિલ્પમંદિર
8. કૈલાશ મંદિર કોણે બનાવ્યું હતું?
જવાબ: રાષ્ટ્રકૂટ વંશના રાજવી કૃષ્ણરાજ પહેલાએ (ઈ.સ. 760) બનાવ્યું હતું.
9. કૈલાશ મંદિરના માપદંડો શું છે?
જવાબ:
ઊંચાઈ – 30 મીટર,
લંબાઈ – 50 મીટર,
પહોળાઈ – 33 મીટર
10. બૌદ્ધ અને જૈન ધર્મના સ્થાપત્યમાં કઈ વિશેષતાઓ જોવા મળે છે?
જવાબ:
-
બૌદ્ધ ધર્મમાં વિહાર, ચૈત્ય અને ગુફામંદિરો
-
જૈન ધર્મમાં ડુંગરો પર દેરાસરો જેમ કે સેત્રુંજય, ગિરનાર, આબુ વગેરે
Page 7
1. મહાબોધી મંદિર કોણે બંધાવ્યું હતું?
જવાબ: પાલવંશના રાજવી દેવપાલે (ઈ.સ. 810–850) ભોધગયામાં મહાબોધી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
2. દેલવાડાનાં દેરાં કોને દ્વારા અને ક્યારે બનાવવામાં આવ્યા હતા?
જવાબ:
વસ્તુપાળ અને તેજપાળ નામના વણિકપ્રધાનોએ 12મી સદીમાં દેલવાડાના જૈન દેરાં બનાવ્યાં હતાં.
3. દેલવાડાનાં દેરાં ક્યા પથ્થરથી બનાવવામાં આવ્યા છે?
જવાબ:
આરસપહાણમાંથી રચાયેલા છે.
4. રાજેન્દ્ર ચોલે કયું નગર વસાવ્યું હતું?
જવાબ:
‘ગંગ કોડ ચોલપુરમ્’ નામે બંદરીય નગર વસાવ્યું હતું.
5. રાજા ભોજે કયા કયા નગરો વસાવ્યાં?
જવાબ:
-
ધારાનગરી (રાજધાની તરીકે)
-
ભોજપુર (તેમના નામ પરથી)
6. ગુજરાતમાં મધ્યકાળ દરમિયાન બનેલા કેટલાક પ્રસિદ્ધ કિલ્લાઓના નામ લખો.
જવાબ:
-
પાટણનો કિલ્લો
-
ઝીંઝુવાડાનો કિલ્લો
-
ડભોઈનો કિલ્લો
-
જૂનાગઢનો કિલ્લો
-
ચિતોડનો કિલ્લો
7. મધ્યકાલીન ગુજરાતનાં અન્ય પ્રસિદ્ધ स्थापત્યનાં નામ આપો.
જવાબ:
-
સહસ્ત્રલિંગ તળાવ
-
રાણીની વાવ
-
રૂદ્રમહાલય
-
કીર્તિતોરણ
-
નવલખો મંદિર
8. ભારતમાં ભીંતચિત્રો કયા સ્થળોએ જોવા મળ્યા છે?
જવાબ: ઈલોરા, એલિફન્તા ગુફાઓ, તેમજ દક્ષિણ ભારતના મંદિરો અને રાજમહેલો
9. રાજસ્થાનના કયા શહેરો ચિત્રકળાના કેન્દ્ર તરીકે ઓળખાય છે?
જવાબ: જયપુર, કિશનગઢ, મેવાડ, બુંદી, બિકાનેર, જોધપુર
10. વૈદકશાસ્ત્રના કયા ગ્રંથના લેખક વાગભટ્ટ હતા?
જવાબ: ‘અષ્ટાંગ હૃદય’
11. ભાસ્કરાચાર્યે કયા વિષય પર ગ્રંથ લખ્યો અને કોના નામે?
જવાબ: ગણિતવિદ્યા પર ‘લીલાવતી’ નામે ગ્રંથ લખ્યો.
જવાબ: કે કોઈ પણ સંખ્યાને શૂન્યથી ભાગીએ તો તેનું ફળ અનંત થાય છે.
13. ભારતીય ગણિતનો ફેલાવો યુરોપમાં કોણે કર્યો?
જવાબ: આરબોએ ભારતીય ગણિત યુરોપ સુધી પહોંચાડ્યું.
Page 8
1. ચતુર્ભુજ ક્ષેત્રફળ કાઢવાની રીત કયા ગ્રંથોમાં જોવા મળે છે?
જવાબ: ભાસ્કરાચાર્યના ગ્રંથોમાં.
2. ભાસ્કરાચાર્યએ કયું પ્રસિદ્ધ ગ્રંથ લખ્યું અને કેટલા ભાગમાં?
જવાબ: 'સિદ્ધાંત શિરોમણિ' – ચાર ભાગમાં.
3. ‘ચરકસંહિતા’ અને ‘સુશ્રુતસંહિતા’ નો અનુવાદ કઈ ભાષાઓમાં થયો હતો?
જવાબ: અરબી અને તિબેટી ભાષામાં.
4. ‘રસહૃદય’ ગ્રંથ કોણે લખ્યો અને કઈ વિષય પર?
જવાબ: ગોવિંદ ભગતે લખ્યો; રસાયણશાસ્ત્ર વિષય પર.
5. ‘ખગોળશાસ્ત્ર’ ગ્રંથના લેખક કોણ હતા?
જવાબ: મુંજલ.
6. આ યુગમાં ઉત્તર અને દક્ષિણ ભારતના કયા મોટા વેપાર કેન્દ્રો હતા?
જવાબ:
-
ઉત્તર ભારતમાં: વારાણસી, મથુરા
-
દક્ષિણ ભારતમાં: મદુરાઈ, અરિકામેડુ
7. દક્ષિણ ભારતના કયા બંદરો ભારતના વિદેશ વેપાર માટે પ્રસિદ્ધ હતા?
જવાબ: કાવેરીપટ્ટનમ
8. ગુજરાતના કયા શહેરો તે સમયના વેપાર કેન્દરો હતા?
જવાબ: વલભી, ભરૂચ (ભૃગુકચ્છ), દ્વારકા, પ્રભાસપાટણ, ખંભાત (સ્તંભતિર્થ)
9. ગુજરાતના કયા જાણીતા વેપારીનો ઇરાન સુધી મોટો વેપાર હતો?
જવાબ: જગડુશા
10. વણઝારા લોકોનું મુખ્ય કાર્ય શું હતું?
જવાબ: વાહનવ્યવહાર (ટ્રાન્સપોર્ટેશન)
11. તે સમયનાં વજન માપના મુખ્ય સાધનો કયા હતા?
જવાબ: પાળી, પવાલા, મણ, ભાર (સુવર્ણ માટે), પડી (પ્રવાહી માટે)
12. હસ્તવણાટ ઉદ્યોગ વિશે વિશેષ શું કહેવાયું છે?
જવાબ: વઓની ગૂંથણી એટલી મુલાયમ હતી કે એક તાકો વીંટીમાંથી પસાર થઈ જાય.
13. ભોજદેવના કયા ગ્રંથમાં યંત્રવિજ્ઞાન વિષય છે?
જવાબ: ‘સમરાંગણ સૂત્રધાર’
14. મધ્યકાળના કારીગરો કયા કલા ક્ષેત્રમાં નિષ્ણાત હતા?
જવાબ:
-
સોનાની ચાંદીની હુન્નર
-
લોખંડનાં હથિયાર અને વાસણ
-
માટીના વાસણ
-
મણકા તથા મીનાકારી
-
હસ્તકલા, હીરા-મોતીના ઘરેણાં
15. કયા ઉદ્યોગો ગામે ગામ વિકસેલા હતા?
જવાબ: સુધારી, લુહારી, કંડોઈ, ઓડ, રંગાટી, કલાલ, શિલ્પી, કંસારા, મોચી વગેરે.
16. સ્થાપત્ય અને શિલ્પકામ ક્યા શહેરોમાં વિકસેલું હતું?
જવાબ: કનોજ, તાંજોર, પુરી, ઉજજૈન, પાટલ, પોળકા
17. ભારતે સંસ્કૃતિનો વિદેશોમાં કેવી રીતે પ્રસાર કર્યો?
જવાબ: તલવાર નહિ, પણ પ્રેમ અને શાંતિથી. સંહાર વિના.
Page 9
1. વ્યાપારીઓ અને ધર્મપ્રવર્તકો વિદેશોમાં શા માટે ગયા?
જવાબ: વેપારીઓ ધનપ્રાપ્તિ માટે અને ધર્મપ્રવર્તકો ધર્મપ્રસાર માટે વિદેશોમાં ગયા.
2. ભારતીય સંસ્કૃતિથી કયા કયા દિશાના દેશો પ્રભાવિત થયા?
જવાબ: અગ્નિ એશિયા, પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાના દેશો.
3. બ્રહ્મદેશ, સિયામ અને સિલોનમાં કયો ધર્મ મુખ્યત્વે પ્રચલિત થયો?
જવાબ: બૌદ્ધધર્મ.
4. ભાલિ ટાપુમાં આજે પણ શાસ્ત્રોક્ત વિધિથી કઈ કઈ વિધિઓ થાય છે?
જવાબ: લગ્ન, જનોઈ, મરણ વગેરે પ્રસંગોએ.
5. મુનિ અગત્સ્યની મૂર્તિને ત્યાં શું કહે છે?
જવાબ: ભટ્ટાગુરુ.
6. ‘ચંપા’ અને ‘અન્નામ’ કયા વર્તમાન દેશના પ્રાચીન નામો છે?
જવાબ: વિયેટનામ (હિંદી ચીન).
7. કંપુચિયાના કયા કયા પ્રાચીન નામો હતા?
જવાબ: કંબોજ, ફુનાન, કમ્બોડિયા.
8. શ્રીલંકાના પ્રાચીન નામો કયા હતા?
જવાબ: સિલોન.
9. શ્રીલંકાની કઈ પ્રજા બૌદ્ધધર્મ પાળે છે?
જવાબ: સિંહાલી પ્રજા.
10. જાપાનમાં ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિનું વજન કેટલું છે?
જવાબ: 450 ટન.
11. ચીનના કયા કયા યાત્રાળુઓ ભારત આવ્યા હતા?
જવાબ: ફાહિયાન, યુઅન-સ્વાંગ, ઇત્સિંગ.
12. નાલંદાના કયા આચાર્યો તિબેટ ગયા હતા?
જવાબ: શાંતરિક્ષત અને પદ્મસંભવ.
13. ઇત્સિંગે કઈ માહિતી નોંધાવી છે?
જવાબ: 7મી સદીમાં ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બૌદ્ધધર્મની સ્થિતિ.
14. ચીની ભાષામાં કયા ભારતીય ગ્રંથો ઉપલબ્ધ બન્યા?
જવાબ: ધર્મ, ખગોળશાસ્ત્ર, ગણિત અને વૈદકશાસ્ત્રના ગ્રંથો.
15. શ્રીવિજય સામ્રાજ્યના કયા બંદરો પ્રસિદ્ધ હતા?
જવાબ: પાલમબંગ અને કેડાહ.
Page 10
1. એશિયાના લોકો કેવી રીતે સાંસ્કૃતિક રીતે નજીક આવ્યા?
જવાબ: સમુદ્રમાર્ગે ચાલતા એક જ વહાણમાં હિંદુ, બૌદ્ધ અને મુસ્લિમ યાત્રાળુઓ એકસાથે યાત્રા કરતાં અને જ્ઞાન-વિજ્ઞાન અને વિચારોનું આદાનપ્રદાન કરતાં.
2. થાઈલેન્ડ, બર્મા અને કંબોડિયામાં હોળીનો ઉત્સવ શું કહેવાય છે?
જવાબ: જલોત્સવ.
3. ત્યાં ગણેશોત્સવ કયા નામથી ઉજવાય છે?
જવાબ: મહાપૈઈને.
4. રાજા જનકની રાજધાની ‘મિથિલા’ આજ કયા દેશમાં આવેલી છે?
જવાબ: નેપાળ.
5. મોરેશિયસમાં મળતા ભારતના નામવાળા વિસ્તારોના નામ જણાવો.
જવાબ: આનંદગ્રામ, ચિત્રકૂટ, કૃષિનગર, સોનામુખી, મહેશ્વરીનગરી, માયાપુરી, ધારાનગર.
6. ગાંધાર આજના કયા દેશમાં આવેલું છે?
જવાબ: અફઘાનિસ્તાન.
7. ગાંધારના કયા મહાન સંસ્કૃત વ્યાકરણકાર હતા?
જવાબ: પાણિની.
8. રામાયણપ્રેમી દેશ તરીકે કયો દેશ જાણીતો છે?
જવાબ: ઈન્ડોનેશિયા.
9. કોના સમયમાં ગાંધાર ભારતનો ભાગ હતો?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સમયમાં.
10. ભારતીય સંસ્કૃતિના અવશેષ ક્યાં ક્યાં દેશમાં જોવા મળે છે?
જવાબ: કોરિયા, સાઇબેરિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, આફ્રિકા, મોંગોલિયા, મિસર, મેસોપોટેમિયા, ખોતાન, રશિયા, અરભસ્તાન, ઈરાન, વિયેટનામ.
EDITING BY--LIZA MAHANTA